Wednesday, August 30, 2006

મુસલમાનોને ભૂંડા ચીતરવાનું આયોજીત કાવતરૂં !!!

થોડા દિવસ પહેલાં લંડન પોલીસે ૧૦ વિમાનોમાં વિસ્‍ફોટો કરવાનું ષડયંત્ર ખુલ્‍લું પાડવાનો દાવો કર્યો હતો, અને પછી અમેરિકાએ ભારતને પણ ચેતવ્‍યું હતું,

પછી શું થયું ?

અમેરિકાએ પછી જણાવ્‍યું કે એ ચેતવણી અનુમાન પર આધારિત હતી,

અને પેલા લંડનવાળાઓએ પકડેલા ષડયંત્રનું શું થયુ ?

વાંચો
http://www.gujaratsamachar.com/gsa/20060831/guj/national/
news6.html





જેમને વિમાનમાં વિસ્‍ફોટ કરવા ના આરોપ હેઠળ પકડવામાં આવ્‍યા હતા એમની પાસે પાસપોર્ટ પણ ન હતો !!!

યાદ છે મુંબઇના વિસ્‍ફોટો પછી એક હિંદુ (સુમિત નામી ) માણસે ‘લશ્‍કરે કહર‘ના નામથી ધમકી ભર્યા મેઇલ રવાના કરી મુસલમાનોને આ ધમાકામાં સંડોવવાનો પ્રયત્‍ન કર્યો હતો,

Sunday, August 27, 2006

मुस्लिम उलेमा की बैठकमें प्रधानमंत्री मनमोहन सिंह

વિશ્વમાં આંતકની કોઇ પણ ઘટના ઘટે છે તો સીધા મુસલમાનોને દોષી માની લેવામાં આવે છે, એ લગભગ હવે સામાન્‍ય છે, જો સરકાર કે પોલીસ કે તંત્ર કોઇ સાથે અમાનવીય વ્‍યવહાર કરે, ત્રાસ આપે, કોઇ કેસમાં વગર વાંકે પકડી લે, અને પછી નિર્દોષ છોડી દે, એક દેશ બીજા પર આક્રમણ કરે, ગેંગવોરમાં કોઇનું મર્ડર થાય, ભ્રષ્‍ટાચાર, ગેર રીતિ અને ખોટા ‍નિર્ણયો, મોંધી દવાઓ, દવાઓના માનવીઓ પર છુપા ટેસ્‍ટ, ડોકટરો દ્વારા દર્દીઓની કીડની, અને અન્‍યો અંગોની ચોરી, જરૂરત ન હોય તો પણ ઓપ્‍રેશન કરી હઝારો રૂપિ‍યા ખંખેરવા, સરકાર દ્વારા ખોટા ટેકસ, અને અન્‍ય કંઇ બાબતો એવી છે, જેનાથી આજે સામાન્‍ય માનવી ત્રાસી ગયો છે, પણ એ બધા ને કોઇ ફોકસ કરતું નથી,
અને ફકત એક જ ઇસ્‍લામી ત્રાસવાદને નામે લોકોને બીવાડવામાં આવે છે,
થોડા દિવસ પહેલાં આ બાબતે ચિંતા વ્‍યકત કરવા મુસલમાન નેતાઓએ ભારતના વડાપ્રધાન શ્રીની મુલાકાત લીધી , પાર્લામેન્‍ટ લાયબ્રેરી હોલ અને એનેકસીમાં બી દિવસ મીટીંગો થઇ,
બી બી સી હિન્‍દી ઉપર આ વિશે જે સમાચાર છે તે અત્રે રજૂ કરીએ છીએ,
पिछले दिनों दिल्ली में मुस्लिम उलेमा की बैठक हुई जिसमें प्रधानमंत्री मनमोहन सिंह मौजूद थे. मुसलमानों ने इस बात पर चिंता जाहिर की कि दुनियाभर में आतंकवाद के नाम पर उनको ही निशाना क्यों बनाया जा रहा है. इसी सवाल पर मिर्ज़ा एबी बेग ने दिल्ली में कुछ मुसलमानों से पूछा कि आतंकवाद और मुसलमानों का नाम उससे जोड़े जाने पर वे क्या राय रखते हैं



જોવા વાંચવા માટે નીચે કલીક કરો.

જો આ સંદર્ભે તમે તમારું મંતવ્‍ય રજૂ કરવા માંગતા હોવ તો આ ફોરમ પર આવો.

www.suvaas.my-forums.net

Wednesday, August 23, 2006

શીખોના વાળ અને મુસલમાનોની દાઢી....

સમાચાર છે કે એક શીખ યુવાનના વાળ કાપી નાંખવાના મુદ્દે શીખ સમુદાય ભારે વિરોધ કરી રહયો છે, જે કોઇએ આવી હરકત કરી હોય તેની અમે નિંદા કરીએ છીએ, ધર્મ અને ધાર્મિક ચિન્‍હો ધાર્મિક પ્રતિકોનું સમ્ન્‍માન ( ચાહે તે કોઇ પણ ધર્મનું હોય ) દરેકે કરવું જોઇએ, એકબીજાના ધર્મ કે પ્રતિકોનું અપમાન માણસને ઉશ્‍કેરે છે. અને પછી તેમાંથી અતિવાદ, પછી કટ્ટરવાદ , અને પછી આંતકવાદ ધીરે ધીરે .....
હાલમાં જ એક કિશ્ચન કોમેનટરે એક મુસલમાન ખેલાડીને ફકત તેની દાઢીના કારણે આંતવાદી કહી દીધો, !!!
આ તે કેવી માનસિકતા,
આ પેલા ગોરા લોકો જે આપણને સેકયુલરિઝમ અને સમાનતા, માનવહક અને સ્‍વતંત્રતાના પાઠ ભાણાવે છે.

Sunday, August 20, 2006

આજના સમાચાર છે કે ભગવાન દૂધ પીએ છે, કાલે સમાચાર હતા કે માહિમમાં સુફી સંતના ચમત્‍કારથી દરિયો મીઠી થઇ ગયો,
http://www.divyabhaskar.co.in/newsfromgujarat/
newsfromahmedabad/ahmedabadnews_09.asp
લ્‍યો કહો વાત ! બધાની જ અક્કલો બહેર મારી ગઇ છે.

આજનું દિવ્‍યભાસ્‍કર વાંચો.

બે પત્નિ હોય તો સરકારી નોકરીમાંથી રૂખસદ ?

સમાચાર છે કે ભારતની સુપ્રિમ કોર્ટે બીજા લગ્‍ન કરનાર કર્મચારીની બરતરફીના હુકમને માન્‍ય રાખ્‍યો છે. એટલે કે ‘ સરકારી કર્મચારી દ્વારા બીજા લગ્‍ન એ ફરજિયાત નિવૃતિ કે નોકરીમાંથી હકાલપટ્ટી માટે પુરતું કારણ બની જશે. ‘ આ કેસમાં અરજદાર કે.જી.સોની બેંક નોટ પ્રેસમાં સ્‍ટોર એટેન્‍ડેન્‍ટ તરીકે ફરજ બજાવે છે, પાર્વતી બાઇ સાથે થયલા તેમના પ્રથમલગ્‍નની વાત તેમણે રજૂ કરેલા સોગંદનામામાં છુપાવી હતી.
(ગુજરાત ટુ ડે, તા. ૨૦/૮/૦૬
http://gujarattodaydaily.com/fullnews.asp?nid=12849

Monday, August 14, 2006

સ્‍વાતંત્ર્ય દિવસ

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ....

ભારતવર્ષ આજે સ્‍વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે, સૌ ભારતવાસીઓને, ભારતપ્રેમીઓને મુબારકબાદ... ખુશીના વધામણા....... સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે તન-મન-ધન અને થઇ શકે તે બલિદાનો આપ્‍યા તે વીરપુરૂષોને સલામ......
એમના બલિદાનો સાચા અર્થમાં ફળીભુત થાય અને ભારત સમૃધ્‍ધ બને, સુખી બને, સલામત રહે, અને દેશના દરેક નાગરિક માટે શીતળ છાંયડો બની રહે એવી દુઆ......


(અમે ઉપર ભારતવાસીઓ સાથે ભારતપ્રેમીઓને પણ ખુશીમાં શામેલ કર્યા છે, આ ભારતપ્રેમીઓ એટલે આપણા એન.આર.આઇ ભાઇઓ......)

Tuesday, August 08, 2006

સુરતમાં પૂર , શું આને કુદરતી આફત કહીશૂં કે માનવ સર્જિત ??

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સૂરતમાં ભારે તબાહી,
લગભગ આખા સુરતમાં પાણી ફરી વળ્યાં.
સુરત શહેરની વચ્‍ચેથી પસાર થતી તાપી નદી પર બાંધવામાં આવેલા બધા જ પૂલો પાણીમાં ગરકાવ.
કયાંક એક માળ, કયાંક બે અને કયાંક તો ત્રણ માળ સુધી પાણી,
શું આને કુદરતી આફત કહીશૂં કે માનવ સર્જિત ??
ઉપરવાસમાં ભારે વરસાદ થઇ રહયો હોવાની ખબર તંત્રને હતી જ, અને તેનાથી ઉકાઇમાં સપાટી વધવાની છે, એ પણ તંત્રને અંદાજો હોય જ, અને ઉકાઇ ડેમની સામાન્‍ય સપાટી થી સાત આઠ ફૂટ વધારે પાણી ભરાય જાય ત્‍યાં સુધી જોયા કરવું અને પછી એમ કહી કે આટલું બધું પણી વધી ગયું છે, અને હજુ વધુ આવશે માટે ડેમને બચાવવા ખાતર પાણી છોડવું જરૂરી છે, !! એ કયાંની અકલ મંદી છે ? ડેમમાં પાણીનો ભરાવો શરૂ થયો ત્‍યારથી જ થોડું થોડું છોડવામાં શું ખોટું છે ? પાણી ભરાવા દેવું અને પછી સુરત ડુબે એટલુ ભરાય ત્‍યારે જ છોડવું ! એ કયા અધિકારીની આવઢત છે ? કયા નિષ્‍ણાતે આવા નિયમો બનાવ્‍યા છે ? વોટ આપી લોકોને પાંચ વર્ષ નિરાંતે ઉધી જવાની ખાતરી આપનારમ મુખ્‍ય મંત્રી આ બધા પર નજર નથી રાખતા ???
સમાચાર છે કે ઉકાઇ ડેમમાં ભરાય રહેલા પાણી સંબંધે માંગણી કરવામાં આવી હતી કે તા. ર જી ઓગસ્‍ટથી તબકકાવાર પાણી છોડવામાં આવે, પણ મુખ્‍યમંત્રીએ ઉલટાની જાહેરાત કરી કે તા. ૧પ ઓગસ્‍ટ સુધી પાણી છોડવામાં ન આવે , વાહ ભઇ વાહ ઇ ગવર્નસનો જબરો પુરાવો !
શહેરો અને ગામડાંઓની વ્‍યવસ્‍થા જાળવવા રાખવામાં આવતા કલેકટર જેવી મોટી હસ્‍તીઓ અને અધિકારીઓને પણ મુખ્‍યમંત્રી ધ્‍વજવંદનકાર્યક્રમની વ્‍યવસ્‍થાના બહાને રોકી રાખે અને તે પણ આવા દિવસોમાં , એ પણ એક ઇ ગવર્નન્‍સનો પુરાવો, પેલી વીડીયો કોન્‍ફરન્‍સ દ્વારા રાજયભરને જોડી દેવાની વ્‍યવસ્‍થા કયાં ગઇ ?