Saturday, April 12, 2008

શહીદ ભગતસિંહ, આંતકવાદી કે શહીદ ?

ગુણવંતશાહ ‘દિવ્‍યભાસ્‍કર‘ રવિપૂર્તિમાં લખે છે ,
પાઘડીનો વળ છેડે
ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર બને તે ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે મુસ્લિમો તીવ્ર ગુસ્સાની લાગણી અનુભવે છે...આ ગુસ્સો ભગતસિંહ જેવા આપણા ક્રાંતિકારીઓના બ્રિટિશરાજ સામેના ગુસ્સા જેવો છે. -જે.એસ.બંદૂકવાલા (‘ધ ઇન્ડિયન એકસ્પ્રેસ,’ તા. ૧૬-૭-૨૦૦૭)
નોંધ : જો આતંકવાદીઓને ભગતસિંહ જૉડે સરખાવીએ, તો તેમની સામે જાનને જૉખમે લડનારાઓને કોની સાથે સરખાવીશું?
http://www.divyabhaskar.co.in/2008/04/07/0804071127_vicharona_vrundavanma.html
---------------------------
તે તો ગુણવંત જી, બીટ્રીશરોથી પુછો ને કે તેઓ ભગતસિંહ જોડે જાનના જોખમે લડનારા તેમના સૈનિકોને, શું કહેતા હતા ?
ઉચ્‍ચ ધ્‍યેય માટે મરનાર દરેક વીર અને શહીદ કહેવાય ...
હા શત્રુ તો તેને આંતકવાદી જ કહેવાના !
પ્રશ્ર્ન એ છે કે તમે એ ‘‘છેલ્લાં સો વર્ષોદરમિયાન પિશ્ચમ તરફથી થયેલા વ્યવહાર અંગે નારાજ મુસ્લિમો અને ઉંચું શિક્ષણ પામેલા મુસ્લિમો બોમ્બર ‘‘ ના કોણ છો ?
શત્રુ કે મિત્ર ?
જવાબ સરળ છે .
સમસ્‍યાના મુળ જોવાથી સમસ્‍યા સમજાય છે, સત્તાનો રૂઆબ અને પ્રચારની આંખે અંજાવાથી સત્‍ય પરદા પાછળ રહી જાય છે.
ભગતસિંહ પણ તો પિશ્ચમ વિરોધે જ ચડયા હતા ને, કેમ શહીદ કહેવાયા ?
ત્‍યારે પણ તો ઘણા પિશ્ચમના ટેકેદારો તેમને આંતકવાદી જ કહેતા હતા ને !