Thursday, May 17, 2007

ગાંધીજી ભારતના નહી , પાકિસ્‍તાનના રાષ્‍ટપિતા

જયપૂર મહાનગર પાલિકા તરફથી આયોજિત ૧૮૫૭ ના સ્‍વાધિનતા આંદોલનની ઉજવણી નિમિત્તે બોલતાં સંધના એક નેતાએ ગાંધીજીને પાકિસ્‍તાનના રાષ્‍ટપિતા કહયા છે, ભારતના નહી, અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યક્રમમાં કલાકાર સત્‍યનારાયણ મોર્ય એ આ શબ્‍દો ઉચ્‍ચાર્યા હતા.
જુઆ તા. ૧૮ મે, ર૦૦૭ નું દિવ્‍યભાસ્‍કર..

સત્તાવાર રીતે વંદે માતરમ રાષ્‍ટગીત નથી છતાં એના પ્રત્‍યે ફકત મુસ્લિમશત્રુતાના કારણે દુરાગ્રહ સેવનારા આ સંધીઓના હમદર્દોએ સાચી પરિસ્થિતિથી વાકેફ થઇ આવા નફરતના વેપારીઓ વિરુદ્ધ પગલં એકશન લેવાની જરૂરત છે.
છાસવારે મુસલમાનો વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ લગાડનારા આ સંધીઓના શબ્‍દોમાં આટલું ઝહેર અને નફરત છે તો પછી તેમના કરતૂતોમાં શું નહી હોય ?
સાચી વાત એ છે કે ભારતવર્ષના આ સાચા શત્રુઓ છે, તેમને દેશની નહી, સત્તાની ફિકર છે, સત્તાની મંઝિલ તેમના મતે સવર્ણો સિવાય દરેકને અંદરો અંદર લડાવીને, નફરતની આગ ફેલાવવના માર્ગ પરથી ચાલીને મળે છે. પંજાબના દેરા સચ્‍ચા વિવાદમાં પણ આ જ કોંગ્રેસ-ભાજપ તરફી હોવાનું રાજકરણ એટલે કે બન્‍ને પક્ષોના સવર્ણો એમને લડાવી એમનામાં જ ખતમ કરી દેવા માંગે છે,
દેશની પ્રજા આ શાહો – મોદીઓ – અડવાણીઓ –વાજપેયીઓ – સુદર્શનો – સિંહો - - સિંધો - અને હાથો બની રહેલા યાદવોથી મુકત થાય એ જરૂરી છે, કયાંક તો ઉપરવાળો આ બધાને એમની સંકુચિતામાંથી મુકત કરી દે, આમીન...