Tuesday, May 02, 2006

વડોદરામાં તોફાનોની આગ ફરીથી

વડોદરામાં આખરે ન થવાનું થઇને રહ્યું, એક દરગાહ હટાવવાના મામલે મુસલમાનો અડી ગયા, કબ્રસ્‍તાનો પર કબજો જમાવી કબરો પર ઘરો અને દુકાનો બનાવી બેસેલા મુસલમાનો આ એક કબર પર અડી ગયા ?
હિંદુઓને મૂર્તિપૂજાને નામે ગેર મુસ્લિમ કહેનારા આપણે મુસલમાનો આવી કબરોને આખર તો એક મૂર્તિ સમ ગણી જાણે પૂજીએ જ છીએ, પછી કયા મોઢે આપણે આપણે આ બધો વિરોધ કરીએ છીએ, ઇસ્‍લામી શાસ્‍ત્રો અને ધર્મગ્રંથોમાં મસ્જિદ બાબતે નિયમ છે કે જે જગાને એક વાર મસ્જિદ રૂપે આબાદ કરવામાં આવી તે સદા મસ્જિદ રહે, પણ દરગાહ કે કોઇની કબર બાબત આવો હકમ ઈસ્‍લામમાં નથી,
આ ટાણે મુસલમાનોની લાગણી હતી કે આ બધું મુસલમાનોના ધર્મ સ્‍થાનો સાથે થઇ રહ્યું છે, આ ગેરસમજને દૂર કરવી રહી, આ પણ વાસ્‍તવિકતા છે કે દાયકાઓથી વડોદરાના જાહેર રસ્‍તાઓ ઉપર કોઇ નવી દરગાહ નહી બની હોય, પણ મંદિરો કે ડેરીઓ અનેક બની છે. આ બાબતને લક્ષમાં લેવી જોઇએ.
વિરોધીઓ સામે પોલીસ પણ વિફરી ગઇ, એ ખોટું હતું. લાગે છે કે પહેલેથી આ મામલે વાતાવરણ વધુ ગરમ કરી દેવામાં આવ્‍યું હતું. પહેલાં આવા પ્રશ્નો થાળે પાડી પછી શાંતિથી હલ કરવામાં આવ્‍યા હતા.
પોલીસ પાસે રબરની ગોળીઓ નથી હોતી શું ? અને શા માટે ગોળીઓ સીધી માથામાં કે છાતીમાં ફાયર કરવામાં આવે છે ?
પગોમાં મારી આવા તોફાનીઓને પકડવામાં આવે તો ?

2 comments:

पंकज बेंगाणी said...

Otalo now updates automatically

Anonymous said...

I remember that mandirs and deris were already destructued. It became problmetic when a kabar was being destructed. Why???