Saturday, July 26, 2008

અમદાવાદમાં આતંકી ધમાકા

અમદાવાદમાં ગઇ કાલના આતંકી ધમાકાઓ પાછળ નિશંક કોઇ દેશવિરોધી તત્‍વોનો હાથ છે, એમને પકડી તુરંત આકરી સજા કરવી જોઇએ, વારે ઘડીએ ધડાકા કરી દેશને અને તંત્રને પ્રજા લક્ષી કામો કરવાથી રોકવા અને સરકારી પૈસો તેમજ સામગ્રી સુરક્ષા અને તપાસમાં વેડફાય જાય એવો આ આતંકીનો આશય હોય શકે છે, ખરેક નાગરિકે પોતાની ફરજ સમજીને આવા સમયે સરકાની પડખે ઉભા રહેવાની જરૂર છે. આતંકવાદના નામે બદનામ થયેલા મુસલમાનોએ આવા સમયે વધુ સાવચેત રહેવાની જરૂરત છે. કયાંક ખોટી શંકાના કારણે એમાં સપડાય ન જવાય !
સરકાર તરફથી લેવાનારા કડક પગલાંઓમાં જો નિષ્‍ક્રિય પોલીસ ઉપર પણ પગલાં લેવાય તો સુરક્ષા તંત્ર વધુ સાવચેત બને અને આવી ઘટનાઓ નિવારી શકાય.
સમાચાર સારની એક જૂની પોસ્‍ટ પણ જોવા જેવી છે
સંદેશ તો કહે છે આ આત્‍મઘાતી હુમો હતો, ખુદા કરે આ અંદાજો ખોટો હોય,

No comments: